O Shrinathji Aavjo Tame-ઑ શ્રીનાથજી આવજો તમે
ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા કયારના અમે
અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબરના પડે
આપ શરણ તો હદીયા વિષે શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ
ચરણ શરણ તો આપનું ખરૂ જનમ મરણનું દુ:ખ તો ગયું .
દાસ આપનો જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે
દાસ ભાવથી સૌ તરી જશે દાસ આપના જો-હશે ખરા
દાસ હોય તો કદી ના વિસરે ભય તજીને સર્વદા ફરે
દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે.

Comments
Post a Comment